Krishnamurti Subtitles

BO84T3 - જીવવાની અને મરવાની કળા

ત્રીજું જાહેર પ્રવચન
બોમ્બે (મુંબઈ), ભારત
૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪



0:41  આપણે અહીં છેલ્લા મળ્યાં
ત્યારે જે વાત કરતાં હતાં,
  
0:47  તેમાં આગળ વધીશું?
 
0:53  આપણે સંઘર્ષ વિષે વાત કરતાં હતાં,
શું આ જગતમાં
  
1:00  સમસ્યાઓ અને સંઘર્ષ વિના
જીવવું શક્ય છે ખરું.
  
1:11  આપણે એને વિષે આગળ વાત કરીશું
કારણ કે મોટાભાગના લોકો માટે
  
1:20  જીવન, રોજિંદું જીવન,
એ મથામણ,
  
1:27  સંઘર્ષ, પીડા અને વિવિધ વ્યગ્રતાઓની
હારમાળા હોય છે.
  
1:40  અને આપણે પૂછતાં હતાં કે
શું આ પાગલ જગતમાં
  
1:46  એવું જીવન જીવવું શક્ય છે,
 
1:56  જેમાં કોઈ પણ પ્રકારની
સમસ્યા અને સંઘર્ષ ન હોય.
  
2:04  આ કદાચ થોડું વાહિયાત અથવા
પાગલ જેવું પણ લાગે,
  
2:12  કે આપણે આવી વસ્તુ
 
2:16  - ‘એક પણ સંઘર્ષ વિના જીવવું’ -
વિષે વિચાર કરીએ છીએ.
  
2:23  આપણે પેલે દિવસે કહ્યું તેમ,
 
2:28  આ પ્રશ્નમાં તપાસ કરવા માટે
 
2:35  ઘણી વિવેકબુદ્ધિની,
 
2:39  ઘણી ઊર્જાની, ખંતની
જરૂર રહે છે.
  
2:47  તમારી અને વક્તા વચ્ચે
માત્ર શાબ્દિક, સૈદ્ધાંતિક
  
2:55  ચર્ચા કે સંવાદ કરવાનો
બહુ જ નજીવો અર્થ છે.
  
3:03  તો, આજની સાંજે
આપણે સૌ
  
3:11  - કાગડાઓના અવાજ છતાં -
 
3:15  સાથે મળીને વિચારીએ,
 
3:22  આ સમસ્યામાં ઊંડા ઊતરીએ
 
3:26  કે જીવવાની કોઈ
એવી કળા છે,
  
3:34  જે મુજબ માણસ
રોજિંદા જીવનમાં જીવી શકે
  
3:40  - સૈદ્ધાંતિક જગતમાં નહીં,
રોજિંદા જીવનમાં -
  
3:46  માનસિક રીતે, આંતરિક રીતે
 
3:55  કોઈ દોડધામ વિના,
 
4:00  પરિવર્તનની પીડા વિના,
 
4:03  અને એ પરિવર્તનમાં જે વ્યગ્રતા
રહેલી છે એના વિના જીવવું,
  
4:09  શું આવું જીવન જીવવું
શક્ય છે.
  
4:17  આવો પ્રશ્ન પૂછવો
એ ઘણું અવિશ્વસનીય લાગે,
  
4:24  કારણ કે જન્મથી મૃત્યુ સુધી
આપણું જીવન
  
4:31  સંઘર્ષો, લડતો,
 
4:39  પોતાની સિદ્ધિ માટે
મથતી મહત્ત્વાકાંક્ષા,
  
4:43  અને અસ્તિત્વની તમામ પીડા,
 
4:47  દુ:ખ, ખુશી
વગેરેની હારમાળા છે.
  
4:54  તો આપણે આ પ્રશ્નમાં
ઊંડા જઈએ,
  
4:58  જીવવાની કળા.
રોજિંદા જીવનમાં.
  
5:06  આપણી પાસે ઘણી કળાઓ છે:
ચિત્રકળા,
  
5:13  અદ્દભુત જોડા બનાવવાની કળા,
સૌથી સારા જોડા,
  
5:22  અને ચિત્રકળા,
ઇજનેરી કળા,
  
5:31  સામાજિક વહેવાર અને વાતચીતની કળા
- એમ અનેક કળાઓ છે.
  
5:39  પરંતુ આપણે, અને કદાચ
આખી દુનિયાએ પણ
  
5:45  ક્યારેય આ પ્રશ્ન નથી પૂછ્યો,
જીવવાની કળા.
  
5:55  એ શોધી કાઢવા માટે...
- આ ભારે ત્રાસ...
  
6:01  મુંબઈ એક ગંદું શહેર છે,
આંખોમાંથી પાણી નીકળે છે,
  
6:09  હું રડતો નથી.
 
6:18  આમાં પરીક્ષણની જરૂર છે કે,
જીવવું કેવી રીતે.
  
6:25  કારણ કે જીવવાની કળા
એ છે સર્વોચ્ચ કળા,
  
6:30  અને સૌથી મહત્ત્વની કળા,
અન્ય કોઈ પણ કળા કરતાં અધિક મહાન,
  
6:39  સરકાર ચલાવવાની કળા
કરતાં અધિક મહાન,
  
6:44  સંવાદની કળા કરતાં અધિક મહાન,
 
6:49  એ છતાં, આપણે ક્યારેય
પૂરા ઊંડાણથી તપાસ નથી કરી
  
6:56  કે આપણું રોજિંદું જીવન
જીવવાની કળા શું છે,
  
7:06  જેમાં અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિ,
 
7:09  સંવેદનશીલતા અને અતિશય
સ્વતંત્રતાની જરૂર પડે છે.
  
7:20  કારણ કે સ્વતંત્રતા વિના તમે
જીવવાની કળા શું છે તે શોધી ન શકો.
  
7:29  જીવવાની કળા એ કોઈ
રીત કે પદ્ધતિ નથી,
  
7:36  કે પછી કોઈને પૂછવાનું નથી કે
જીવવાની કળા કેવી રીતે શોધવી,
  
7:43  પરંતુ આમાં જરૂર છે
ઘણીબધી બૌદ્ધિક પ્રવૃત્તિની
  
7:52  અને ઊંડી તેમ જ વ્યાપક
પ્રામાણિકતાની.
  
8:03  આપણામાંના બહુ જ થોડા લોકો પ્રામાણિક છે.
 
8:10  દુનિયામાં આ વધુ ને વધુ
બગડી રહ્યું છે.
  
8:15  આપણે પ્રામાણિક માણસો નથી.
 
8:19  આપણે એક વસ્તુ કહીએ છીએ,
બીજી વસ્તુ કરીએ છીએ,
  
8:24  આપણે તત્ત્વજ્ઞાન વિષે, ઈશ્વર વિષે
વાતો કરીએ છીએ,
  
8:30  પ્રાચીન ભારતીયોએ ઘણાબધા
તાત્વિક સિદ્ધાંતોનો આવિષ્કાર કર્યો છે,
  
8:37  અને આપણે આ બધી બાબતોમાં
ખાસ્સા કુશળ છીએ,
  
8:42  પરંતુ શબ્દ, વર્ણન,
 
8:49  વિગતવાર નિવેદન
એ કૃત્ય નથી, કાર્ય નથી.
  
8:58  અને આને કારણે અહી
અતિશય અપ્રામાણિક્તા છે.
  
9:07  અને જીવવાની કળા બાબતે
તપાસ કરવામાં
  
9:16  મૂળભૂત, દૃઢ, અચલ
પ્રામાણિકતા હોવી જ જોઈએ.
  
9:29  એવી પ્રામાણિકતા
જે ભ્રષ્ટ ન થઈ શકે,
  
9:36  જે પોતાને પરિસ્થિતિઓ સાથે,
માગણીઓ સાથે,
  
9:40  વિવિધ પ્રકારના પડકારો સાથે
અનુકૂળ ન બનાવી લે.
  
9:48  આ શોધી કાઢવામાં
અખંડતાની જરૂર પડે છે,
  
9:57  કારણ કે આપણે એક અતિશય
સંકુલ સમસ્યા સાથે કામ કરવાનું છે.
  
10:03  એવું જીવન જીવવું
જે સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય,
  
10:16  જેમાં ઊર્જાનો વ્યય ન હોય,
 
10:21  કોઈ પ્રકારનો ભ્રમ કે રૂઢિ ન હોય,
એ કાંઈ તદ્દન સહેલું નથી.
  
10:29  રૂઢિ, ગમે તેટલી પુરાણી હોય,
કે ગમે તેટલી આધુનિક હોય,
  
10:34  એ માત્ર જૂના માળખાને
આગળ ચલાવે છે.
  
10:43  અને જૂનું માળખું શક્યત: પોતાને
નવા સાથે અનુકૂળ બનાવી શકતું નથી.
  
10:53  તો સાથે મળીને,
અને અમારો અર્થ છે ખરેખર સાથે,
  
11:00  આ એવું નથી કે વક્તા
કશુંક કહે છે
  
11:04  જેની સાથે તમે સંમત
કે અસંમત થાવ છો,
  
11:08  પણ સાથે મળીને, તમારી
બુધ્ધિનો, વિચારશક્તિનો,
  
11:18  તમારા ડહાપણનો પ્રયોગ કરીને,
- જો તમારામાં ડહાપણ હોય તો -
  
11:23  અને સાથે મળીને,
 
11:31  આ અતિ સંકુલ સમસ્યાને
જોવાની છે.
  
11:36  આપણે અગાઉ કહ્યું તેમ,,
આ કોઈ ભાષણ નથી,
  
11:45  આ તમને માહિતી, હકીકતો
જણાવવા માટેનું,
  
11:54  સૂચના આપવા માટેનું,
તમને સમજાવવા માટેનું,
  
12:00  તમને થોડુંક, હળવેકથી અમુક દિશામાં
દોરવા માટેનું ભાષણ નથી.
  
12:11  અમે નવી કલ્પનાઓનાં
બીજ વાવવા માટે
  
12:15  કોઈ પ્રકારનો પ્રચાર
નથી કરી રહ્યા,
  
12:22  આ એવા પ્રકારનું કશું જ નથી.
 
12:26  એ તો વક્તાના પક્ષે
ગૌરવહીન કહેવાય,
  
12:30  જ્યારે એ કહે કે આ એવું નથી,
અને એનો અર્થ એવો હોય કે આ એવું છે.
  
12:40  એટલે તમે તમારા
પોતાના મગજનો,
  
12:48  તમારી પોતાની ઉતાવળની અને
માગણીની સમજનો ઉપયોગ
  
12:58  એ શોધવા માટે કરો છો,
કે શું જીવવાની એવી કોઈ રીત છે
  
13:05  જે સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય.
 
13:15  માટે, કૃપયા, જો તમારી ઇચ્છા હોય,
તો આજની સાંજે ગંભીર રહો.
  
13:27  તમે કદાચ બાકીનું વર્ષ, કે બાકીનું
અઠવાડિયું ભલે ગંભીર ન રહો,
  
13:34  પરંતુ તમારા જીવનમાં ઓછામાં ઓછું
એક વાર સંપૂર્ણપણે આતુર રહો,
  
13:45  પોતાની જાત સાથે
સર્વથા પ્રામાણિક રહો.
  
13:52  તો પછી આપણે સાથે મળીને
આ પ્રશ્નની અંદર જઈ શકીએ:
  
14:00  જીવવાની કળા એટલે શું.
 
14:11  આપણે કેવી રીતે શોધી કાઢીશું?
કળા.
  
14:19  દરેક ચીજને એના
નિયત સ્થાને મૂકવી,
  
14:28  કોઈપણ બાબતમાં
અતિશયોકિત કરવી નહીં,
  
14:32  પોતાની સહજવૃત્તિને, આવેગોને
એક દિશામાં વાળીને
  
14:42  અન્ય દિશાઓની સદંતર ઉપેક્ષા
કરવી નહીં.
  
14:46  કોઈ એક દિશામાં સિદ્ધિ માટેનો
પ્રયત્ન કરવાનો નથી,
  
14:56  પરંતુ તમે અને વક્તા
સાથે મળીને
  
15:05  શોધી કાઢવાના છીએ
- આપણા પોતાના માટે,
  
15:11  એવું નથી કે
વક્તા તમને કહેશે,
  
15:15  આ સમજવું અગત્યનું છે.
 
15:22  હું દિલગીર છું,
કાગડાઓ મજા કરી રહ્યા છે!
  
15:28  એ બધા એકબીજાને શુભરાત્રી
કહી રહ્યા છે.
  
15:38  થોડું અંધારું વધશે એટલે
કાગડાઓ શાંત થઈ જશે.
  
15:46  માટે કૃપયા,
ઓછામાં ઓછું આજની સાંજ પૂરતું,
  
15:57  આ જુઓ કે જીવવાની એવી રીત
 
16:01  શોધી કાઢવી એ કેટલું મહત્ત્વનું છે,
 
16:06  જેમાં સંઘર્ષનું, સમસ્યાઓનું
અસ્તિત્વ ન હોય.
  
16:16  કારણ કે સંઘર્ષ અને સમસ્યાઓ
આપણી ઊર્જાનો અપવ્યય કરે છે.
  
16:26  માણસે શોધી કાઢવું પડે કે
સમસ્યાઓનું અસ્તિત્વ શાથી છે.
  
16:33  ગણિતને લગતી,
ભૂગોળને લગતી
  
16:35  વગેરે સમસ્યાઓ હોય છે
- શૈક્ષણિક સમસ્યાઓ,
  
16:40  આપણે એ બધી સમસ્યાઓની
વાત નથી કરી રહ્યાં.
  
16:44  આપણે માનવોની સમસ્યાઓની
વાત કરી રહ્યાં છીએ.
  
16:50  સૌ પ્રથમ આપણે માનવો છીએ,
ત્યાર બાદ આપણે વૈજ્ઞાનિકો,
  
16:54  ઇજનેરો, વેપારીઓ
વગેરે છીએ.
  
16:58  સૌ પ્રથમ આપણે માનવો છીએ.
 
17:04  પરંતુ જ્યારે તમે અન્ય બાબતોને
મહત્ત્વ આપો છો,
  
17:09  ત્યારે તમે ભૂલી જાવ છો
કે તમે એક માનવ છો.
  
17:15  માટે કૃપયા, આવો, આપણે
સાથે મળીને શોધી કાઢીએ.
  
17:23  જીવવાની કળાનો અર્થ શું એ નથી
કે જીવન, રોજિંદું જીવન
  
17:32  અતિશય ચોકસાઈપૂર્વક,
વ્યવસ્થિતપણે જીવવું?
  
17:46  વ્યવસ્થાનો અર્થ
આજ્ઞાપાલન નથી,
  
17:53  એક ચોક્કસ ઢાંચાને અનુસરવું અને
પોતાને એની સાથે અનુકૂળ કરવું એવો નથી.
  
18:04  આપણે આમાં ધીરેથી જઈશું.
 
18:09  શું આનો અર્થ એ નથી કે
પોતાની અવ્યવસ્થિતતા પ્રત્યે
  
18:17  સંપૂર્ણત: સભાન, જાગૃત હોવું?
 
18:26  તમે એ પ્રત્યે જાગૃત છો?
 
18:29  અથવા શું આપણે એમ વિચારીએ છીએ
કે આ માત્ર એક બાહ્ય વાતાવરણની
  
18:36  મુશ્કેલી છે, પણ આંતરિક રીતે
આપણે સંપૂર્ણત: વ્યવસ્થિત છીએ?
  
18:43  આપણે સાથે મળીને એ દર્શાવીએ છીએ
 
18:47  કે આંતરિક રીતે આપણે અવ્યવસ્થામાં,
વિરોધાભાસમાં જીવીએ છીએ.
  
18:57  આ હકીકત છે.
 
18:59  સૌથી મહાન સંતો પણ
 
19:04  - એ લોકો સામાન્યપણે થોડા
જ્ઞાનતંતુના રોગની અસરવાળા હોય છે -
  
19:08  સૌથી મહાન સંતો પણ
અવ્યવસ્થામાં જીવે છે,
  
19:12  કારણ કે તેઓ હંમેશ કશુંક બનવાનો
પ્રયત્ન કરતા હોય છે.
  
19:20  બનવું એ જ -
તમે સમજો છો?
  
19:24  મને આશા છે કે આપણે
એકબીજાને સમજીએ છીએ.
  
19:26  બનવું : હું આ છું,
હું તે બનીશ.
  
19:33  ‘જે છે’ તેને ‘જે હોવું જોઈએ’માં
બદલવાના એ પ્રયાસમાં
  
19:41  અંતરાળ છે, વિશાળ અવકાશ છે,
જેમાં સંઘર્ષ આકાર પામે છે.
  
19:49  અને એ સંઘર્ષ
અવ્યવસ્થાનું મૂળ છે.
  
19:55  બરાબર?
 
19:57  તમે સમજ્યા છો?
 
20:01  જયાં વિભાજન છે
- વિભિન્ન વર્ગોના લોકો,
  
20:08  જાતિઓ, ધર્મો, અને આપણી અંદરનો
વિરોધાભાસ, વિભાજન,
  
20:16  ‘હું આ છું, મારે તે બનવું જોઈએ’,
એમાં વિભાજન રહેલું છે.
  
20:23  એ વિભાજન જ
અવ્યવસ્થાનું મૂળ છે.
  
20:32  કારણ કે એમાં
વિરોધાભાસ રહેલો છે
  
20:38  - ખરું? - હું આ છું,
હું વ્યવસ્થિત થવા માગું છું.
  
20:47  જ્યારે હું કહું કે, ‘હું વ્યવસ્થિત થવા માગું છું’,
ત્યારે હું જાણું છું કે હું ગૂંચવણમાં છું,
  
20:54  આથી હું વ્યવસ્થા સાધવાનો
પ્રયત્ન કરું છું,
  
21:02  આથી હું વ્યવસ્થા કેવી હોય
એની એક આકૃતિ, એક આકાર બનાવું છું,
  
21:10  અને પછી એને અનુસરવાનો યત્ન કરું છું.
 
21:13  અમે કહીએ છીએ - જો તમે કૃપા કરીને
સાથે મળીને સાંભળો તો -
  
21:17  કે એ હકીકત જ
અવ્યવસ્થાનું મૂળ છે.
  
21:25  બરાબર?
તમે સમજ્યા છો?
  
21:29  આપણે આમાં થોડે અંશે
પણ સાથે છીએ?
  
21:34  બહુ અંશે નહીં,
પણ પૂરતું થાય એટલું.
  
21:42  એટલે કે, જયાં આપણી અંદર
માનસિક રીતે વિભાજન હોય,
  
21:49  ત્યાં સંઘર્ષ હોય જ,
અને એથી અવ્યવસ્થા હોય જ.
  
22:01  હવે, જયાં સુધી
અવ્યવસ્થા હોય,
  
22:06  ત્યાં સુધી વ્યવસ્થા મેળવવાનો
પ્રયત્ન પણ અવ્યવસ્થા જ રહે છે.
  
22:14  ખરું? તમે મારા કહેવાનો
અર્થ સમજો છો?
  
22:19  હું ગૂંચવાયેલો છું,
 
22:25  મારું જીવન અવ્યવસ્થિત છે,
 
22:32  હું ખંડિત છું,
અંદરથી તૂટી ગયેલો છું,
  
22:36  અને ગૂંચવાયેલો એવો હું,
એ ગૂંચવણમાંથી એક ઢાંચો,
  
22:46  એક આદર્શ, એક યોજના બનાવું છું,
 
22:52  અને હું કહું છું કે હું
તે યોજના મુજબ જીવીશ.
  
22:56  પરંતુ તે યોજનાનું મૂળ
મારી ગૂંચવણમાંથી પેદા થયેલું છે.
  
23:05  બરાબર? સ્પષ્ટ છે?
 
23:06  એટલે, મારે જે સમજવાનું છે
તે એ કે
  
23:12  હું શા કારણે ગૂંચવાયેલો છું,
હું શા કારણે અવ્યવસ્થિત છું.
  
23:18  જો હું એ સમજી શકું, તો પછી
એ આકલનમાંથી, અર્થબોધમાંથી
  
23:24  કોઈ પણ પ્રયત્ન વિના
વ્યવસ્થા સહજ જ આવે છે.
  
23:33  એનો અર્થ એ કે જો હું મારી
ગૂંચવણનું કારણ જાણી શકું,
  
23:39  તો ગૂંચવણ રહેતી નથી,
તો પછી વ્યવસ્થા હોય છે.
  
23:44  તમે આ જુઓ છો કે કેમ?
 
23:47  શું આપણે આમાં સાથે છીએ,
થોડે અંશે?
  
23:53  આપણે સાથે છીએ? સરસ.
 
23:58  જ્યારે તમે કહો છો, ‘હા, સર’,
ત્યારે તમે ખરેખર એવો અર્થ કરો છો?
  
24:04  કે પછી આ માત્ર શાબ્દિક કથન છે
- ‘ચાલો આગળ વધીએ’.
  
24:10  એ તો અપ્રામાણિકતા થઈ!
 
24:22  જો આપણે વસ્તુઓને સ્પષ્ટ ન જોઈએ,
તો હા ન કહેવું – કહો કે ‘મને સ્પષ્ટ નથી’;
  
24:30  પછી આપણે સાથે મળીને
સંવાદ કરી શકીએ.
  
24:35  પણ જો તમે હા કહો,
 
24:40  તો પછી તમારી નિસબત હોય:
ચાલો આગળ વધીએ.
  
24:47  માટે કૃપયા
આને કાળજીથી જુઓ.
  
24:54  આપણી પાસે એક આખો કલાક છે.
 
24:59  અને ગૂંચવણ વિષેની
આ જાગૃતિ
  
25:06  - આપણે ગૂંચવાયેલા ન હોવું જોઈએ
એવું નથી -
  
25:11  પરંતુ ગૂંચવણ વિષેની જાગૃતિ
પોતે જ
  
25:15  એના કારણને, કાર્યકારણના ભાવને
સ્પષ્ટ કરે છે.
  
25:23  તો કારણ શું છે?
 
25:34  તમે સમજો છો?
 
25:36  જો હું બીમાર હોઉં અને
ડૉક્ટર પાસે જાઉં,
  
25:40  અને ડૉક્ટર
- જો હોશિયાર હોય તો -
  
25:44  તમને કહે કે તમે અમુક વસ્તુઓ
ખાવ છો કે કરો છો,
  
25:48  જે તમારા આખા શરીરતંત્રને
અસ્વસ્થ કરે છે,
  
25:51  માટે આ ન કરો,
અને તે ન કરો.
  
25:56  એટલે હું બદલાઉં છું,
હું યોગ્ય આહાર લઉં છું.
  
26:01  એ જ રીતે,
જો આપણે કારણ શોધી શકીએ,
  
26:05  તો પરિણામ બદલાય છે.
 
26:10  અને જો પરિણામમાં કોઈ ફેરફાર થાય,
તો કારણમાં ફેરફાર થાય છે.
  
26:16  તમે સમજો છો?
 
26:23  આપણે સાથે છીએ
કે તમે ઊંઘો છો?
  
26:30  ચાલો આગળ વધીએ.
 
26:32  માટે, વ્યવસ્થા ત્યારે જ શક્ય બને
 
26:40  જ્યારે આપણે અવ્યવસ્થાના
મૂળ સ્વરૂપને સમજીએ.
  
26:46  અને અવ્યવસ્થાના મૂળ સ્વરૂપનો
સંપૂર્ણપણે નાશ કરી શકાય.
  
26:56  જો હું મારી પત્ની સાથે
ઝઘડતો હોઉં,
  
26:59  અથવા પત્ની મારી સાથે
ઝઘડતી હોય,
  
27:03  તો હું શોધી કાઢું કે
અમે શા કારણે ઝઘડીયે છીએ.
  
27:07  જો અમને ઝઘડવાનું ગમતું હોય,
તો એ જુદી વાત છે,
  
27:11  પરંતુ જો અમે ઝઘડવાનું બંધ
કરવા માગતા હોઈએ, તો અમે કહીએ
  
27:15  કે, ‘ચાલો આપણે એના વિષે વાત કરીએ,
જોઈએ કે આપણે શા કારણે ઝઘડીએ છીએ.’
  
27:22  અને પછી આપણે જોઈએ છીએ કે
આપણે મંતવ્યો વિષે ઝઘડતા હોઈએ છીએ,
  
27:27  મારે આ જોઈએ અને તમારે
કશુંક જુદું જોઈએ.
  
27:31  આમ આપણે એકબીજા સાથે
વાત કરવાનું શરૂ કરીએ છીએ અને
  
27:37  છેવટે કોઈ એવા સ્થાન ઉપર આવીએ છીએ
કે જયાં આપણે બંને સંમત થઈએ.
  
27:43  તો એવી જ રીતે, સાથે મળીને,
જીવન જીવવું,
  
27:53  એવી જીવવાની કળા જેથી જીવન
સર્વથા વ્યવસ્થિત હોય.
  
28:01  એ છે જીવવાની કળા.
 
28:06  ત્યાર બાદ, જીવવાની કળાનો સૂચિતાર્થ
એ છે કે કોઈ ભય ન હોવો જોઈએ.
  
28:17  બરાબર? શું આપણે એમાં જઈશું?
તમને એમાં રસ છે?
  
28:26  અમે કહીએ છીએ કે
જીવવાની કળાની એ માંગ છે કે
  
28:32  કોઈ જ ભય ન હોવો જોઈએ
 
28:42  - માનસિક સલામતીનો ભય,
 
28:49  મૃત્યુનો ભય,
 
28:54  પોતે કશુંક ન બનવાનો ભય,
 
29:01  હાનિ-લાભનો ભય – તમે જાણો છો,
ભયની સંપૂર્ણ સમસ્યા.
  
29:09  શું આપણે એના વિષે સાથે મળીને
વાત કરીશું?
  
29:14  શું ભયથી સંપૂર્ણત: મુક્ત થવું
શક્ય છે ખરું,
  
29:24  કારણ કે
જે મગજ ડરી ગયેલું છે,
  
29:30  જે મગજ ડરી ગયેલું છે
એ મૂઢ મન છે,
  
29:40  એવું મન જે અવલોકન કરવા માટે,
જીવવા માટે સમર્થ નથી.
  
29:46  શું તમે સૌ ભયભીત નથી?
 
29:52  આમાં થોડા પ્રામાણિક રહો.
 
29:56  આપણે સહુ આંતરિક રીતે
ભયભીત છીએ.
  
30:02  આપણે પહેલાં અંદરનું પરીક્ષણ કરીશું,
પછી બહારની તરફ જોઈશું,
  
30:07  એનાથી ઊલટું નહીં.
તમે સમજો છો?
  
30:13  આપણને સૌને ભૌતિક સલામતી જોઈએ છે,
દરેક માણસ આની માગણી કરે છે
  
30:20  - ધન, હોદ્દો, સુરક્ષા,
શારીરિક સલામતી.
  
30:30  પરંતુ આપણે ક્યારેય
 
30:35  આંતરિક સલામતી, નિશ્ચિતતા વિષે
તપાસ કરતાં નથી.
  
30:43  કારણ કે આંતરિક પ્રવૃત્તિ બાહ્યને
આકાર આપે છે, એનું નિયંત્રણ કરે છે.
  
30:51  ખરું?
તમે આ સમજો છો?
  
30:56  માટે, આપણે પૂછીએ છીએ,
જીવવાની કળામાં માત્ર
  
31:02  સંપૂર્ણ વ્યવસ્થા હોવી
એટલું જ નહીં, પરંતુ
  
31:08  આંતરિક રીતે, માનસિક રીતે
ભયથી સંપૂર્ણપણે મુક્ત હોવું
  
31:13  પણ સામેલ છે.
 
31:17  શું એ શક્ય છે?
 
31:23  કારણ કે આપણે બાળપણથી
ભય સાથે જીવ્યાં છીએ.
  
31:32  પતિનો ભય, પત્નીનો ભય,
ઉપલબ્ધિ ન મળવાનો ભય,
  
31:44  પરિપૂર્ણતા ન પામવાનો ભય,
સંતુષ્ટ ન હોવાનો ભય,
  
31:51  - મને ખાતરી છે કે તમે સૌ
ભયના મૂળ સ્વરૂપને જાણો છો.
  
31:57  તો, આપણે પૂછીએ છીએ કે ભયનું
મૂળ સ્વરૂપ અને માળખું શું છે.
  
32:08  પહેલાં તમારી જાતને આ પ્રશ્ન પૂછો.
 
32:12  ભય શું છે,
એ કેવી રીતે ઉત્પન્ન થાય છે,
  
32:19  એનું કારણ શું છે,
એનું મૂળ કારણ?
  
32:25  મને અંધારાની બીક હોય,
 
32:28  મને લોકોના અભિપ્રાયની બીક હોય,
 
32:33  મને એવા કોઈકની બીક હોય
કે જે મને માર મારવાનું હોય.
  
32:44  વિવિધ પ્રકારના
ભય હોય છે.
  
32:49  તો શું આપણે વિવિધ પ્રકારો સાથે
એક પછી એક કામ કરીશું -
  
32:58  તમારો અમુક ભય, આમનો અમુક
ભય, અથવા મારો અમુક ભય -
  
33:04  કે પછી આપણે સાથે મળીને
એનું મૂળ, એનું કારણ શોધી કાઢીશું?
  
33:12  બરાબર?
તમને બેમાંથી કયું જોઈએ છે?
  
33:16  ભયની વિવિધ શાખાઓ,
કે ભયનું સાવ છુપાયેલું મૂળ,
  
33:24  છુપાયેલું મૂળ સ્વરૂપ?
 
33:29  તમે સમજો છો?
ભયનું મૂળ શું છે?
  
33:39  વક્તા તમને આ પ્રશ્ન
પૂછી રહ્યો છે,
  
33:46  અને જો તમે કૃપયા
આજની સાંજે પ્રામાણિક રહો
  
33:52  - ત્યાર પછી તમે અપ્રામાણિક
રહી શકો છો,
  
33:55  એ તમારો સ્વભાવ છે,
તમને એ જોઈએ છે -
  
33:59  પણ આજની સાંજે તમારા પોતાના માટે
એ શોધી કાઢો કે આનું મૂળ શું છે,
  
34:09  આ બધો ભય
શેમાંથી આવે છે.
  
34:15  કારણ કે ભય
સૌથી વધુ વિનાશક છે.
  
34:22  એમાં માણસ
બંધિયાર રીતે જીવે છે...
  
34:28  શારીરિક રીતે જ્ઞાનતંતુઓના
તણાવનું ભાન,
  
34:35  નજીવા કે ભયભીત હોવાની લાગણી,
તમે જાણો છો, ભયની લાગણી,
  
34:41  અને જયાં ભય હોય, ત્યાં દરેક પ્રકારનું
ચિંતાગ્રસ્ત કાર્ય થાય છે,
  
34:49  જે બુદ્ધિહીનતા છે તે
બુદ્ધિગમ્ય હોવાનો દેખાવ કરે છે.
  
34:55  એટલે તમારા પોતાના માટે આ શોધી કાઢવું
અગત્યનું છે કે આનું મૂળ શું છે.
  
35:03  અથવા આનાં ઘણાં મૂળ છે,
કે માત્ર એક જ મૂળ છે?
  
35:20  કદાચ તમે આના વિષે
વિચાર્યું નથી,
  
35:25  તમે પૈસા કમાવામાં
અતિ વ્યસ્ત છો,
  
35:30  તમે તમારી સ્થિતિ વિષે
ચિંતા કરવામાં અતિ વ્યસ્ત છો,
  
35:35  તમે કદાચ ક્યારેય આ શોધી કાઢવા
માટે વિચાર કે તપાસ કર્યાં નથી
  
35:41  કે તમે ભય વિના
જીવી શકો કે કેમ.
  
35:51  ‘જે છે’ તેમાંથી
‘જે હોવું જોઈએ’ તરફનો બદલાવ
  
35:55  એ ભયનાં કારણોમાંનું એક છે.
 
35:59  હું કદાચ ક્યારેય ત્યાં ન પહોંચું,
આથી હું એનાથી પણ ડરું છું.
  
36:06  હું જે બધું બની રહ્યું છે
એનાથી પણ ડરું છું,
  
36:11  હું ભૂતકાળથી પણ ડરું છું.
ખરું?
  
36:18  તો આપણે સાથે મળીને શોધી
કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ
  
36:22  - વક્તા જે કહે
તે સ્વીકારતા નથી.
  
36:29  આમાં પ્રામાણિકતાની,
સંશયની જરૂર પડે છે,
  
36:36  વક્તા જે કહે તેમાંની એકપણ
વસ્તુ સ્વીકારવાની નથી,
  
36:44  પરંતુ આપણા પોતાના માટે
 
36:49  ભયના તથ્યને તથા માળખાને
જોવાનાં છે.
  
36:57  બરાબર?
ભય એટલે શું?
  
37:03  આપણને શેનાથી બીક લાગે છે એ નહીં.
 
37:09  મને મૃત્યુની બીક લાગે છે
- ધારો કે -
  
37:12  કારણ કે હું વૃધ્ધ થઈ રહ્યો છું
અને હું ડરું છું.
  
37:18  અમે એ નથી પૂછતા કે
તમને શેનાથી બીક લાગે છે,
  
37:25  પણ ભય ‘સ્વત:’ છે શું,
એના પોતાનામાં શું છે.
  
37:31  તમે સમજો છો?
 
37:36  તમે થાકી ગયા છો?
 
37:39  સારું.
તો ભય પોતે શું છે?
  
37:46  એ શેમાંથી ઉત્પન્ન થાય છે?
 
37:53  આપણે આનું પરીક્ષણ
સાથે મળીને કરીશું,
  
37:58  પણ તમારે આમાં સહભાગી બનવું પડે,
શાબ્દિક રીતે સ્વીકારવાનું નહીં.
  
38:07  જો તમે શાબ્દિક રીતે, તાત્વિક સિદ્ધાંત
તરીકે કે બૌદ્ધિક રીતે આને સ્વીકારો,
  
38:11  તો અંતે તમે
ભયભીત જ રહેશો.
  
38:14  અને એ તો સમયનો બગાડ છે,
તમારા સમયનો અને વક્તાના સમયનો.
  
38:21  પરંતુ જો તમે અને વક્તા
સાથે મળીને ચાલી શકો,
  
38:26  ભયના સમગ્ર મૂળ સ્વરૂપની અંદર
સાથે મળીને મુસાફરી કરી શકો,
  
38:32  અને તમે તમારી જાતે
 
38:35  ભયના કારણના સત્યને પામી શકો,
તો પછી તમે મુક્ત છો.
  
38:42  સિવાય કે તમે તમારું બાકીનું જીવન
ભયભીત રહેવા માગતા હો
  
38:45  - તમને કદાચ એ ગમતું હોય, કેમ કે
લોકોને કોઈક પ્રકારનો ભય ગમતો હોય છે
  
38:50  કારણ કે એનાથી લોકોને લાગે છે કે
 
38:55  તેઓની પાસે પકડી રાખવા માટે
કશુંક તો છે.
  
39:10  ભૂતકાળ એટલે શું?
 
39:15  કૃપયા સાંભળો,
આપણે ભય વિષે વાત કરીએ છીએ.
  
39:19  ભૂતકાળ શું છે, વર્તમાન શું છે,
અને ભવિષ્ય શું છે?
  
39:30  ભૂતકાળ એ બધું છે જે તમે
સ્મૃતિ તરીકે સંગ્રહ કરેલું છે,
  
39:38  બની ગયેલી ઘટનાઓનું
સ્મરણ,
  
39:45  અને વર્તમાન એ જ ભૂતકાળ છે,
 
39:51  જે પોતાનામાં ભવિષ્ય માટેના
ફેરફારો કરતો રહે છે.
  
39:54  ખરું?
આ વાસ્તવિક હકીકત છે.
  
39:59  એટલે તમે
ભૂતકાળની સ્મૃતિઓ છો,
  
40:06  ભૂતકાળનાં સ્મરણો છો,
ભૂતકાળના અકસ્માતો છો,
  
40:12  ભૂતકાળનો સમગ્ર સંચય છો.
એ છો તમે.
  
40:19  તમે સ્મૃતિઓનું પોટલું છો.
એ હકીકત છે.
  
40:27  જો તમને કોઈ સ્મૃતિઓ ન હોય,
તો તમારું અસ્તિત્વ ન હોય.
  
40:34  માટે તમે એ છો.
 
40:37  ભૂતકાળ – કૃપયા સાંભળો -
સમય છે, ખરું કે નહીં?
  
40:46  ભૂતકાળને સમય થકી
એકત્ર કરવામાં આવ્યો છે.
  
40:54  મને એક અનુભવ થયો છે,
એક અઠવાડિયા પહેલાં,
  
41:01  એ અનુભવે એક સ્મૃતિ
છોડી છે,
  
41:09  અને એ સ્મૃતિ ભૂતકાળના
અનુભવમાંથી જન્મી છે,
  
41:14  એટલે કે, જ્યારે હું ‘ભૂતકાળ’ શબ્દનો
પ્રયોગ કરું, ત્યારે એ સમય જ છે.
  
41:19  ખરું? તમે સંમત છો?
 
41:23  તો આ સમય છે.
ભૂતકાળ સમય છે.
  
41:28  અને ભૂતકાળ સ્મૃતિ, જ્ઞાન,
અનુભવ પણ છે.
  
41:36  બરાબર, સર?
 
41:40  ભૂતકાળ મગજમાં
સ્મૃતિ તરીકે સંગ્રહાયેલાં
  
41:46  અનુભવ અને જ્ઞાન છે,
 
41:49  અને સ્મૃતિમાંથી
વિચાર ઉદ્ભવે છે.
  
41:54  આ એક હકીકત છે.
 
41:56  માટે સમય, જે ભૂતકાળ છે,
 
42:03  અને સ્મૃતિ પણ,
જે ભૂતકાળ છે,
  
42:06  એટલે સમય અને વિચાર
એક જ છે,
  
42:13  એ બંને અલગ નથી.
 
42:16  તમે આ સમજો છો?
 
42:23  શું આપણે સાથે છીએ?
થોડાક અંશે?
  
42:31  તો, આપણે કહીએ છીએ કે,
ભય એ સમય અને વિચાર બંને છે.
  
42:42  મેં એક અઠવાડિયા પહેલાં કશુંક કર્યું,
જેનાથી ભય પેદા થયો,
  
42:52  હું એ ભયને યાદ કરું છું,
 
42:57  અને હું એને ફરી બનતાં
અટકાવવા માગું છું.
  
43:02  એટલે ભૂતકાળનો એક બનાવ છે
જેનાથી ભય પેદા થયો,
  
43:08  અને મગજમાં સ્મૃતિ તરીકે
એની નોંધણી થઈ છે.
  
43:16  એ નોંધણી એ સમય છે.
ખરું?
  
43:24  આ બોલવું તે, આ પ્રવચન,
આની નોંધણી થઈ રહી છે,
  
43:29  આ નોંધણી એ સમય છે,
 
43:33  શબ્દ અને વસ્તુ વચ્ચે જે છે,
તે સમય છે.
  
43:38  મને આશા છે કે તમે
આ બધું સમજો છો.
  
43:42  અને વિચાર સમય પણ છે,
 
43:47  કારણ કે વિચાર અસ્તિત્વમાં આવે છે
સ્મૃતિ થકી,
  
43:53  જ્ઞાન થકી,
અનુભવ થકી,
  
43:58  માટે વિચાર અને સમય એકસમાન છે,
એકસાથે છે,
  
44:04  બંને અલગ નથી.
બરાબર?
  
44:10  અને આપણે પૂછીએ છીએ,
શું એ ભયનું મૂળ છે?
  
44:18  સમય અને વિચાર,
સમય-વિચાર?
  
44:24  એટલે કે, મને મૃત્યુનો ડર છે.
ખરું?
  
44:30  હું હજુ યુવાન છું, વૃધ્ધ છું,
જે કાંઈ હોય તે, હું તંદુરસ્ત છું,
  
44:34  પરંતુ મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું છે,
અને મને મૃત્યુની બીક છે.
  
44:40  એટલે કે, મેં એને
મારાથી દૂર મૂકી દીધું છે,
  
44:48  પણ હજુ મને મૃત્યુની બીક છે.
 
44:52  તમને સહુને મૃત્યુની બીક નથી?
હા? ના?
  
45:00  જો તમને મૃત્યુની બીક ન હોય,
તો તમે સહુ વિલક્ષણ લોકો છો.
  
45:10  માટે, ભય, ભયનું મૂળ છે
સમય-વિચાર.
  
45:21  એવું ન કહો કે, ‘હું કેવી રીતે
સમય અને વિચારને અટકાવું?’
  
45:29  જો તમે ‘કેવી રીતે’ કહો, તો તમે
એક પદ્ધતિની, એક રીતની માગણી કરો છો,
  
45:36  પછી તમે એ રીત મુજબનું આચરણ કરશો,
જેનો અર્થ છે સમય.
  
45:42  ખરું? આમ તમે ફરી પાછા
એના એ જ જૂના ઢાંચામાં આવી જાવ છો.
  
45:48  તમે સમજ્યા છો?
 
45:50  પરંતુ જો તમે સમજો, મજબૂત પકડ મેળવો,
 
45:55  ભયના મૂળ સ્વરૂપમાં તથા ભયના કારણમાં
અંતર્દૃષ્ટિ મેળવો,
  
46:03  જે વિચાર અને સમય છે,
જો તમે ખરેખર એની મજબૂત પકડ મેળવો,
  
46:10  તો એને પકડી રાખો,
એનાથી દૂર ભાગી ન જાવ.
  
46:16  જુઓ...
 
46:21  મને ખબર નથી કે શા માટે મારે
આ બધું વિગતવાર સમજાવવું પડે છે,
  
46:25  આ બધું એટલું તો સરળ છે.
 
46:29  પણ તમે સહુ લોકો બહુ અટપટા છો,
બહુ બુદ્ધિજીવી, બહુ ભણેલા,
  
46:35  બહુ અનુભવી છો, તમે ક્યારેય કશાનેય
સરળતાથી મળી શકતા નથી.
  
46:45  આપણે આમાં ઊંડા જઈશું.
 
46:53  કશુંક અગાઉ બની ગયું હોય
એમાંથી ભય ઉત્પન્ન થાય છે.
  
47:00  મને દાંતનો દુખાવો થયો, હું દાંતના
ડૉક્ટર પાસે ગયો, એણે સાજો કર્યો,
  
47:08  પણ એની નોંધણી થઈ છે,
 
47:15  એ પીડાની નોંધણી થઈ છે.
 
47:18  જયાં નોંધણી હોય, ત્યાં
સ્મૃતિ હોવાની જ અને એ કહે કે,
  
47:23  ‘મને આશા છે કે આવું આવતીકાલે
ફરી નહીં થાય.’
  
47:27  તો, ગઈકાલની પીડા નોંધાય છે,
પછી સ્મૃતિ,
  
47:36  જે નોંધણી છે, એ કહે છે,
‘મને આશા છે કે આવું નહીં થાય’
  
47:40  - આ સમગ્ર પ્રક્રિયા ભય છે.
ખરું?
  
47:47  જો તમે આના
મૂળ તત્ત્વને સમજો,
  
47:53  ભયની પાયાની
પ્રકૃતિને સમજો,
  
47:58  તો તમે આની સાથે કામ કરી શકો,
પરંતુ જો તમે ભયથી પલાયન કરતા હો,
  
48:04  એમ કહીને તાર્કિક રીતે સમજાવવાનો
પ્રયત્ન કરતા હો કે, ‘હું કેવો છું, મને કહો,
  
48:11  મને આમાંથી છૂટવામાં મદદ કરો’,
તો એના અંતમાં, તમે જેવા છો તેવા,
  
48:17  તમારા બાકીના જીવનપર્યંત
ભયભીત જ રહેશો. ખરું?
  
48:24  તો ભયનું મૂળ છે
સમય-વિચાર.
  
48:33  જો તમે આ સમજો – આનું
સૌંદર્ય જુઓ, આની બારીકાઈ જુઓ.
  
48:45  અને બીજી વસ્તુ છે:
 
48:51  લોકોને બીક છે
- તમારી જેમ જ -
  
48:53  આખી દુનિયામાં મોટાભાગના લોકોને
મૃત્યુની બીક લાગે છે.
  
49:01  આ જીવનના મૂળભૂત
ભયમાંનો એક છે.
  
49:07  અને આપણે સહુ જાણીએ છીએ કે
દરેકનું મૃત્યુ છે,
  
49:14  તમારું અને વક્તાનું છે.
 
49:16  એ અંતિમ નિશ્ચિતતા છે.
ખરું?
  
49:22  તમે એનાથી પલાયન કરી ન શકો.
 
49:25  તમે કદાચ લાંબું જીવો,
તમારી ઊર્જાને વેડફયા વિના,
  
49:31  સાદું, ડહાપણભરેલું,
બુધ્ધિયુક્ત જીવન ગાળીને,
  
49:36  પણ તમે ભલે ગમે તે રીતે જીવો,
તો પણ મૃત્યુ અનિવાર્ય છે.
  
49:46  તમે એ સ્વીકારશો?
 
49:53  સ્વીકારવાનું નહીં – એ એક હકીકત છે.
 
49:57  તમે એ હકીકતનો સામનો કરશો?
 
50:03  તમે મરવાના છો!
એમ જ વક્તા પણ.
  
50:11  તમે – તમે કોણ છો?
 
50:23  તમે કોણ છો, સજ્જનો અને સન્નારીઓ
- તમે કોણ છો?
  
50:28  તમારું ધન, તમારો હોદ્દો,
 
50:33  તમારી ક્ષમતા,
તમારી અપ્રામાણિકતા,
  
50:40  તમારી ગૂંચવણ,
તમારી વ્યગ્રતા,
  
50:44  તમારું બૅન્કનું ખાતું,
તમારું બૅન્કનું ખાતું,
  
50:50  - તમે એ બધું છો,
નહીં કે?
  
50:53  સરળ અને પ્રામાણિક રહો.
આ આવું છે!
  
51:01  અને આપણે પૂછીએ છીએ,
 
51:07  જ્યારે આપણે મૃત્યુ પામવાના છીએ
તો જીવવાની કળા શી છે?
  
51:16  એ તો છે જ,
ભલે તમને ગમે કે ન ગમે.
  
51:20  જીવવાની કઈ એવી કળા છે
જેથી માણસને મૃત્યુની બીક ન રહે?
  
51:27  તમે સમજો છો?
 
51:33  ચાલો આમાં ઊંડા જઈએ.
 
51:35  ચાલો આમાં ઊંડા જઈએ, શાબ્દિક રીતે નહીં,
બૌદ્ધિક રીતે નહીં, સૈદ્ધાંતિક રીતે નહીં,
  
51:41  પણ વાસ્તવિક રીતે, જેથી તમે જાણો
કે મૃત્યુનો અર્થ શો છે.
  
51:49  અમે આપઘાતની દલીલ નથી કરતા.
 
51:57  અમુક તત્ત્વજ્ઞાનીઓ,
અસ્તિત્વવાદીઓ અને અન્ય લોકો છે,
  
52:03  જેઓ કહે છે કે જીવન કાયમ કોઈ ટેકરીની
ઉપર ચઢવા અને નીચે ઉતરવા,
  
52:13  ઉપર જવા માટે જોર કરવા અને અમુક ઊંચાઈએ
પહોંચ્યા પછી નીચે આવવા જેવું છે.
  
52:19  અને જીવન, આવા જીવનનો કોઈ અર્થ નથી,
માટે આપઘાત કરો.
  
52:29  તમે સમજો છો?
 
52:35  અમે એમ નથી કહેતા કે
જીવન જીવવાનો રસ્તો એ છે,
  
52:40  એ જીવન જીવવાની કળા નથી.
 
52:43  પરંતુ આપણે આપણી જાતને પૂછીએ છીએ,
શા કારણે આપણને મૃત્યુની બીક લાગે છે.
  
52:54  આપણે યુવાન હોઈએ કે વૃધ્ધ,
અથવા જેવા પણ હોઈએ,
  
53:00  પણ શા કારણે આ તીવ્ર વ્યથા
જેનો આપણે આટલો બધો...
  
53:05  - એ સભાનપણે હોય કે
અભાનપણે હોય.
  
53:12  અને મૃત્યુનો ભય એ દુ:ખ
સહન કરવું પણ છે. બરાબર?
  
53:19  મારા કુટુંબને છોડવામાં
દુ:ખ સહન કરવું
  
53:25  - તમને ખબર છે, મે સંચય કરેલી
બધી જ વસ્તુઓ,
  
53:29  અને હું એ બધું છોડું છું.
 
53:38  જીવનની કળા માત્ર એ શોધી કાઢવું જ નથી
કે આપણું રોજિંદું જીવન કેવી રીતે જીવવું,
  
53:47  પરંતુ એ શોધી કાઢવું પણ છે
 
53:51  કે જીવતા હોઈએ તે દરમ્યાન
મૃત્યુનો મર્મ શો છે. બરાબર?
  
54:03  મૃત્યુ એટલે શું?
 
54:07  એક જૈવિક, શારીરિક અંત છે,
રોગ થકી,
  
54:16  મોટી ઉંમરને લીધે, અકસ્માતથી,
કોઈ દુર્ઘટના થકી
  
54:23  - હું રસ્તા ઉપર જતો હોઉં, અને બનવાજોગ
મારી ઉપર એક ઈંટ પડે અને હું મરી જાઉં.
  
54:34  તો આપણે મરવાનો અર્થ શો કરીએ છીએ?
 
54:40  જો આપણે એ સમજી શકીએ,
 
54:44  તો જીવન અને મૃત્યુ
સાથેસાથે રહી શકે.
  
54:52  તમે સમજો છો?
 
54:53  માણસના આખા જીવનના
અંતમાં મૃત્યુ નહીં...
  
54:59  જ્યારે જીવતંત્ર અંત પામે,
પણ સાથે મળીને જીવવું,
  
55:03  મૃત્યુ અને જીવન સાથે જીવવું.
 
55:10  તમે ક્યારેય આ પ્રશ્ન
પૂછ્યો છે?
  
55:15  કદાચ નહીં.
તમે એ પ્રશ્ન પૂછો.
  
55:20  તમારી જાત સમક્ષ આ પ્રશ્ન મૂકો
કે જીવવું શક્ય છે
  
55:27  - જે છે જીવવાની કળા -
જીવવું, અને મૃત્યુની સાથે જીવવું.
  
55:41  પછી એ શોધી કાઢવા માટે તમારે એ
શોધી કાઢવું પડે કે જીવવું એટલે શું. ખરું?
  
55:51  વધારે મહત્ત્વનું શું છે,
 
55:53  મરવું કે જીવવું?
પહેલાં કે પછી?
  
56:01  તમે મારો પ્રશ્ન સમજો છો?
 
56:05  મોટાભાગના લોકોની નિસબત
પછી સાથે હોય છે,
  
56:09  કાં તો પુનર્જન્મ હોય,
અથવા બીજું કશું હોય.
  
56:14  પરંતુ તેઓ ક્યારેય એ નથી પૂછતા,
 
56:17  કે વધારે મહત્ત્વનું શું છે,
જીવવું, જે એક કળા છે...
  
56:23  જો સાચું જીવન હોય,
 
56:26  તો કદાચ મૃત્યુ પણ
સાચી રીતે જીવવાનો એક ભાગ છે,
  
56:31  - તમે સમજો છો -
મૂર્ખાઈભરેલા જીવનના અંતમાં નહીં!
  
56:38  માટે માણસે પહેલાં એ તપાસ કરવી પડે,
કે જીવવું એટલે શું.
  
56:48  તમે આનો જવાબ આપો, સર.
 
56:50  આપણે આની ચર્ચા કરીશું,
આને વિષે સંવાદ કરીશું,
  
56:53  પણ તમારે આનો જવાબ
પોતાને માટે આપવો જ રહ્યો.
  
57:00  જેનો અર્થ છે,
તમારું જીવન શું છે?
  
57:04  તમારું રોજિંદું જીવન શું છે,
એટલે કે જે તમારું જીવન છે,
  
57:10  રોજેરોજના જીવનની હારમાળા છે.
 
57:14  એ બધાં જીવનોની
લાંબી હારમાળા શું છે?
  
57:21  પીડા, વ્યગ્રતા, બિનસલામતી,
અનિશ્ચિતતા. ખરું?
  
57:31  તમે ઉપજાવેલી કોઈક વસ્તુ પ્રત્યે
ભ્રામક ધાર્મિકતા,
  
57:40  કોઈક પ્રકારનું કાલ્પનિક, ભ્રામક
અસ્તિત્વ, એક ઢોંગ ભરેલું જીવન,
  
57:48  શ્રદ્ધા હોવી, માન્યતા હોવી
- તમે આ બધું છો. ખરું?
  
57:56  તમે તમારા મકાન સાથે,
તમારા ધન સાથે, તમારી બૅન્ક સાથે,
  
58:02  તમારી પત્ની, બાળકો પ્રત્યે
આસક્ત છો. ખરું?
  
58:06  તમે જોડાયેલા છો, પકડો છો, ખરું?
આ તમારું જીવન છે.
  
58:13  તમે આનો વિરોધ કરશો?
 
58:18  તમે આનો વિરોધ કરશો?
 
58:21  વક્તાએ દર્શાવેલું વર્ણન
આ છે, કે
  
58:26  તમે સતત મથામણ,
 
58:31  સતત પ્રયત્ન,
સગવડ, પીડા,
  
58:39  એકલતા, વિષાદને જીવો છો
- એ છે તમારું જીવન.
  
58:47  અને તમે એને છોડવાથી
ગભરાવ છો.
  
58:52  અને મૃત્યુ કહે છે, ‘મારા મિત્ર,
તમે એને તમારી સાથે ન લઈ જઈ શકો.
  
58:58  તમે તમારું ધન, તમારું કુટુંબ, તમારું જ્ઞાન,
તમારી માન્યતાઓ સાથે ન લઈ જઈ શકો.’
  
59:04  મૃત્યુ કહે છે, તમારે એ બધું
પાછળ છોડી દેવું રહ્યું.
  
59:10  ખરું?
તમે એની સાથે સંમત થશો?
  
59:16  કે એને નકારશો?
 
59:20  આનો સામનો કરો, સર.
 
59:23  તો, જીવવાની કળા એ છે
 
59:32  - મારે આનો જવાબ આપવાની જરૂર છે?
 
59:36  તમે જુઓ, તમે મારા જવાબ આપવાની
રાહ જોઈ રહ્યાં છો.
  
59:44  જુઓ સર, હું મારી પત્ની સાથે
જોડાયેલો છું,
  
59:52  અથવા અમુક નિષ્કર્ષ સાથે,
 
59:56  હું એની સાથે
જબરદસ્ત રીતે જોડાયેલો છું.
  
1:00:04  હવે મૃત્યુ મને કહે છે,
 
1:00:07  ‘તમે ન લઈ જઈ શકો, હું આવું ત્યારે
તમારે એને છોડવું જ પડશે.’
  
1:00:16  હવે, શું મારા માટે હું જીવતો હોઉં ત્યારે,
એને છોડવું શક્ય છે?
  
1:00:25  હા, સર! તમે છોડશો?
તમે છોડશો?
  
1:00:34  સંપૂર્ણ શાંતિ.
 
1:00:40  હું મારા ફર્નીચર સાથે
જોડાયેલો છું,
  
1:00:45  મેં એને ઘસીને ચળકતું કર્યું છે,
મેં એની કાળજી કરી છે,
  
1:00:48  એ જૂનું ફર્નિચર છે,
 
1:00:52  હું એ કોઈને નહીં આપું.
એ મારું છે.
  
1:00:56  હું એની સાથે વર્ષોથી જીવ્યો છું,
એંસી વર્ષ. એ મારો ભાગ છે.
  
1:01:05  જ્યારે હું એ ફર્નિચર સાથે જોડાયેલો હોઉં,
તો એ ફર્નિચર હું છું.
  
1:01:13  હું જાણું છું તમે હસો છો,
 
1:01:19  પણ તમે એ ફર્નીચરને
છોડશો નહીં.
  
1:01:27  તો મૃત્યુ તમને કહે છે,
 
1:01:30  ‘મારા મિત્ર, તમે એ મેજ
તમારી સાથે ન લઈ જઈ શકો.’
  
1:01:36  તો શું તમે સંપૂર્ણપણે મુક્ત રહી શકો,
 
1:01:41  એ ફર્નીચર પ્રત્યેની આસક્તિથી
સંપૂર્ણપણે મુક્ત?
  
1:01:49  તમે એ ફર્નિચર સાથે જીવો,
 
1:01:51  પરંતુ એની આસક્તિથી
સંપૂર્ણપણે મુક્ત.
  
1:01:57  એ છે મૃત્યુ.
તમે સમજો છો?
  
1:02:01  જેથી તમે જીવતા રહો,
દરેક સમયે જીવતા અને મરતા.
  
1:02:10  ઓહ, તમે આનું સૌંદર્ય જોતાં નથી!
 
1:02:15  તમે આ મુક્તિને જોતાં નથી
કે આ તમને
  
1:02:19  ઊર્જા, ક્ષમતા આપે છે.
 
1:02:26  જયાં તમે આસક્ત હો,
ત્યાં ભય હોય છે,
  
1:02:30  વ્યગ્રતા,
અનિશ્ચિતતા હોય છે.
  
1:02:34  અનિશ્ચિતતા, ભયને કારણે
વિષાદ થાય છે.
  
1:02:49  અને વિષાદના પ્રશ્નમાં ઊંડા
ઊતરવું – એ જીવનનો એક ભાગ છે.
  
1:02:56  પૃથ્વી ઉપર સૌએ દુ:ખ સહન કર્યું છે,
આંસુ વહાવ્યાં છે.
  
1:03:10  તમે આંસુ વહાવ્યાં નથી?
 
1:03:16  તમારો પતિ તમારી
સંભાળ નથી લેતો,
  
1:03:21  એ તમારો ઉપયોગ કરે છે
અને તમે એનો ઉપયોગ કરો છો.
  
1:03:28  અને તમે અચાનક અનુભવો છો કે
એ કેટલું કદરૂપું છે,
  
1:03:37  અને તમે દુ:ખ સહન કરો છો.
 
1:03:42  આખાયે ઇતિહાસ દરમ્યાન માનવે
માનવનો વિનાશ કર્યો છે,
  
1:03:48  ધર્મને નામે, ઈશ્વરને નામે,
રાષ્ટ્રીયતાને નામે... ખરું?
  
1:03:57  તો માનવે અપાર દુ:ખ
સહન કર્યું છે.
  
1:04:05  અને તેઓ ક્યારેય એ સમસ્યાનો
ઉકેલ લાવી નથી શક્યા,
  
1:04:13  કે ક્યારેય દુ:ખ સહન ન કરવું.
 
1:04:16  કેમ કે જ્યારે આપણે દુ:ખ સહન
કરીએ છીએ, ત્યારે પ્રેમ નથી હોતો.
  
1:04:26  દુ:ખ સહન કરવામાં
માત્ર આત્મ દયા જ નહીં,
  
1:04:31  પણ એકલતાનો, વિયોગનો,
વિભાજનનો ભય, વસવસો,
  
1:04:44  અપરાધભાવ – આ બધું જ
એ શબ્દમાં સમાવિષ્ટ છે.
  
1:04:54  આપણે ક્યારેય આ સમસ્યાનો
ઉકેલ લાવ્યા નથી.
  
1:05:02  આપણે એને સહન કરી લઈએ છીએ,
આપણે આંસુ વહાવીએ છીએ,
  
1:05:08  અને પુત્રની, કે ભાઈની,
 
1:05:11  કે પત્નીની કે પતિની સ્મૃતિને
બાકીના જીવનપર્યંત સાથે રાખીએ છીએ.
  
1:05:23  શું વિષાદનો અંત છે ખરો?
 
1:05:29  કે પછી માનવે હંમેશ માટે
આનો બોજો ઉઠાવવો જ રહ્યો?
  
1:05:40  એ શોધી કાઢવું તે પણ
જીવવાની કળા છે.
  
1:05:52  ભયનું ન હોવું તે
જીવવાની કળા છે.
  
1:06:00  અને વિષાદ ન હોવો તે પણ
જીવવાની કળા છે.
  
1:06:10  માટે આ જટિલ સમસ્યાની મહીં
તપાસ કરવાની છે, કે
  
1:06:17  શા કારણે માનવ અન્ય માનવો પ્રત્યે
માત્ર અમાનવીય જ નહીં,
  
1:06:25  પરંતુ ક્રૂર પણ રહ્યો છે,
 
1:06:29  પાશવી, હિંસક, હજારો, લાખોની સંખ્યામાં
લોકોને મારી નાખતો રહ્યો છે.
  
1:06:38  અને કેટલા બધા લોકોએ
પોતાના પુત્રો, કે પતિઓ,
  
1:06:43  કે અન્ય સંબંધીઓ માટે
આંસુ વહાવ્યાં છે?
  
1:06:49  અને આપણે હજુયે એનો એ જ
પુરાણો ઢાંચો, એકબીજાને મારી નાખવાની
  
1:06:52  ગંદી, પાશવી રમત
આગળ ચલાવીએ છીએ.
  
1:07:04  મેં અહીં આવતી વખતે જોયું,
કે અહીં નૌકાસૈન્યનો
  
1:07:10  એક કાર્યક્રમ થવાનો છે.
 
1:07:15  ખરું? હા, સર.
 
1:07:21  તમે સૌ તમારા લશ્કર અને નૌકાસૈન્ય
વગેરે માટે ખૂબ અભિમાન ધરાવો છો.
  
1:07:29  દરેક દેશ હજારો લોકોના વિનાશ માટેનાં
પોતાનાં લશ્કરી ઉપકરણો માટે
  
1:07:35  અભિમાન ધરાવે છે.
 
1:07:44  તમે સંમત છો કે આપણે આ ન કરવું જોઈએ,
અને બીજે દિવસે આગળ ચાલ્યાં જાવ છો,
  
1:07:55  ક્યારેય એ તપાસ નથી કરતાં કે તમે
તમારી અંદર હિંસા અટકાવી શકો છો કે નહીં,
  
1:08:10  યુધ્ધોનું અસ્તિત્વ શા કારણે છે.
 
1:08:15  તમે સમજો છો, સર, કે છ હજાર
વર્ષોથી યુધ્ધો થતાં આવ્યાં છે
  
1:08:22  - માણસ માણસને મારી નાખે છે.
 
1:08:26  એ બધાંની ગંદકી, કુરૂપતા.
 
1:08:35  અને તમને વાંધો નથી.
 
1:08:38  એ ક્યાંક દૂર બની રહ્યું છે,
અને તમને વાંધો નથી.
  
1:08:45  પરંતુ તમે પણ એની જ
તૈયારી કરી રહ્યાં છો.
  
1:08:51  માટે આ જીવનની
સમસ્યાઓમાંની એક છે,
  
1:08:56  કે શું વિષાદ વિના જીવવું
શક્ય છે ખરું.
  
1:09:10  વિષાદ એટલે શું?
 
1:09:14  શા માટે જ્યારે મારો પુત્ર અવસાન પામે
 
1:09:19  - મારો પુત્ર, તમારો નહીં,
એ તમારી બાબત છે -
  
1:09:24  જ્યારે મારો પુત્ર અવસાન પામે,
ત્યારે મારી અંદર કશુંક તૂટી જાય છે,
  
1:09:35  ખાસ કરીને જો હું સ્ત્રી હોઉં તો.
 
1:09:40  મેં એને મારા ગર્ભમાં ધારણ કર્યો છે,
જન્મ આપ્યો છે, અને એને ઉછેર્યો છે,
  
1:09:49  એની સંભાળ લીધી છે,
 
1:09:53  અને એ બધાંની પીડા અને ખુશી,
માતાનો હર્ષ,
  
1:10:00  અને પછી એને અંતે
મારી નાખવામાં આવે છે
  
1:10:07  - તમારા દેશને માટે.
 
1:10:12  તમારું ગૌરવ એ માગણી કરે છે કે
એને મારી નાખવામાં આવશે.
  
1:10:17  તમે આ બધું સમજો છો,
નહીં કે?
  
1:10:22  કેમ તમે આ ચાલવા દો છો?
 
1:10:35  તો વિષાદ એટલે શું?
 
1:10:47  શું એવું છે કે મારો પુત્ર,
- જતો રહ્યો, કદી પાછો ન આવી શકે,
  
1:10:54  જો કે હું વિચારું છું કે અમે આગલા જન્મમાં,
કે સ્વર્ગમાં, કે નર્કમાં મળીશું -
  
1:11:05  એ જતો રહ્યો છે, એ હકીકત છે.
 
1:11:08  પણ હું સ્મૃતિને આગળ ચલાવું છું,
 
1:11:14  હું એનું ચિત્ર મારા હ્રદયની
આજુબાજુ રાખું છું.
  
1:11:21  હું એ સ્મૃતિને આધારે,
આંસુ વહાવતો જીવું છું.
  
1:11:28  હું ભૂલી શકતો નથી.
 
1:11:32  એ મારા બોજાનો એક ભાગ છે.
 
1:11:39  તમે આ બધું નથી જાણતાં શું?
 
1:11:43  કે પછી વક્તા કશુંક
અસંગત બોલી રહ્યો છે?
  
1:11:54  તમે ક્યારેય પૂછ્યું નથી કે આપણે
શા કારણે દુ:ખ સહન કરીએ છીએ.
  
1:12:05  અને આપણે ક્યારેય વિષાદ વિષે,
દુ:ખ સહન કરવા બાબતે
  
1:12:11  તપાસ કરી નથી અને પૂછ્યું નથી કે,
શું એનો ક્યારેય અંત થઈ શકે ખરો,
  
1:12:16  માણસના જીવનના
અંતમાં નહીં,
  
1:12:22  પણ અત્યારે, આજે.
 
1:12:31  જો તમે એમાં તપાસ કરવાનું શરૂ કરો,
- જે મને આશા છે કે અત્યારે આપણે
  
1:12:39  કરી રહ્યાં છીએ - તો કારણ શું છે?
 
1:12:42  શું એ આત્મ દયા છે?
 
1:12:46  શું એ છે કે એ યુવાન હતો, તાજગીભર્યો,
ખુશખુશાલ – અને જતો રહ્યો?
  
1:12:59  શું એ છે કે
હું એના પ્રત્યે આસક્ત છું?
  
1:13:03  આ બધાંનો સામનો કરો, સર!
 
1:13:08  શું હું એના પ્રત્યે આસક્ત છું?
 
1:13:14  અને તે આસક્તિ,
શું છે તે આસક્તિ?
  
1:13:21  હું કોના પ્રત્યે આસક્ત છું?
મારા પુત્ર પ્રત્યે?
  
1:13:26  ‘મારો પુત્ર’ કહેવાનો મારો અર્થ શો છે?
 
1:13:30  - બુદ્ધિગમ્ય, તર્કસંગત રહો -
 
1:13:35  મારો પુત્ર એટલે શું?
 
1:13:37  મારી પાસે એનું એક ચિત્ર છે,
મારી પાસે એની એક માનસિક છબી છે,
  
1:13:42  હું એ કશુંક ખાસ બને એમ ઇચ્છું છું.
ખરું?
  
1:13:48  હું એ કશુંક ખાસ બને એમ ઇચ્છું છું,
અને એ મારો પુત્ર છે.
  
1:14:01  અને હું અત્યંત આસક્ત છું
 
1:14:06  કેમ કે એ મારો ધંધો
આગળ વધારશે,
  
1:14:17  એ વધારે પૈસા કમાવામાં
મારા કરતાં વધુ હોશિયાર હશે.
  
1:14:21  તમને ખબર છે, તમે સહુ આ રમત
રમો છો, તમે આ બહુ સારી રીતે જાણો છો.
  
1:14:29  And that's one side.
 
1:14:32  અને મને એને માટે
અમુક સ્નેહ પણ છે.
  
1:14:38  આપણે એને પ્રેમ નહીં કહીએ,
 
1:14:42  પણ આપણે એને અમુક
ખાસ પ્રકારનો સ્નેહ કહીશું.
  
1:14:46  જો તમે તમારા પુત્રને પ્રેમ કરતા હતા,
 
1:14:50  તો તમે એને જુદા પ્રકારનું
શિક્ષણ આપ્યું હોત,
  
1:14:53  જુદા પ્રકારનો
ઉછેર આપ્યો હોત,
  
1:14:59  માત્ર તમારાં પગલે ચાલવા ન કહ્યું હોત.
 
1:15:03  એ નવી પેઢી છે,
 
1:15:09  અને નવી પેઢી તમારી પેઢી કરતાં
સંપૂર્ણપણે વિશિષ્ટ હોઈ શકે,
  
1:15:16  મને આશા છે કે તમારો પુત્ર વિશિષ્ટ છે.
 
1:15:19  હું એવું ઈચ્છું છું કે
એ નવી પેઢી હોય,
  
1:15:21  મારા કરતાં જુદા પ્રકારની
વ્યક્તિ હોય.
  
1:15:29  હું જે કરું છું એનું
અનુસરણ ન કરે
  
1:15:32  - ઇજનેર, વેપારી,
અને એ બધા ધંધા.
  
1:15:42  પરંતુ હું ઈચ્છું છું કે
એ મારા ધનનો, મારી સંપત્તિનો,
  
1:15:46  મારા મકાનનો વારસ હોય
 
1:15:52  - તમે સહુ જે રમત રમો છો
એ તમે જાણો છો.
  
1:15:59  અને જ્યારે એ અવસાન પામે,
ત્યારે એ બધું જ તૂટી જાય છે.
  
1:16:06  એટલે કે, મારું પુત્ર વિષેનું ચિત્ર,
એ આ કે તે બને એ મારી ઇચ્છા,
  
1:16:12  એ બધાંનો તદ્દન અંત આવે છે,
અને મને આઘાત લાગે છે.
  
1:16:21  પછી હું મારા ભત્રીજા,
મારી ભત્રીજી, કે કોઈ અન્ય તરફ
  
1:16:27  વળું છું, જે આ જ ઢાંચો
આગળ ચાલુ રાખે,
  
1:16:32  કારણ કે મારી પાસે અતિશય પૈસા છે,
અથવા એક ઓરડો છે.
  
1:16:38  તમને આ બધી નથી ખબર?
 
1:16:41  આ બધું કેટલું નિષ્ઠુર છે.
 
1:16:46  અને મહાન વિષાદનાં
કારણોમાંનું આ એક છે.
  
1:16:56  અને મૃત્યુ ખરેખર
અંતિમ વિષાદ છે.
  
1:17:05  પરંતુ જો તમે જીવતા હો,
મૃત્યુ અને જીવન એકસાથે મળીને,
  
1:17:13  તો પછી કોઈ પરિવર્તન નથી.
 
1:17:21  તમે દરરોજ તાજગીસભર
પુનર્જન્મ પામો છો – તમે નહીં,
  
1:17:26  એક નવી વસ્તુ દરરોજ તાજગીસભર
પુનર્જન્મ પામે છે.
  
1:17:34  અને એમાં મહાન સૌંદર્ય છે.
 
1:17:38  એ સર્જન છે.
 
1:17:42  નહીં કે માત્ર ચિત્ર દોરવું,
મકાન બનાવવું, સ્થાપત્ય,
  
1:17:48  પણ આની સાથે જીવવું:
મૃત્યુ અને જીવન.
  
1:17:56  અને એમાં અસાધારણ મુક્તિ છે.
 
1:18:05  અને મુક્તિનો સૂચિતાર્થ એ પણ છે,
 
1:18:07  ‘મુક્તિ’ શબ્દનો મૂળ અર્થ
પ્રેમ પણ છે.
  
1:18:17  જીવવું, જીવવાની કળા
અને મરવાની કળા, એકસાથે.
  
1:18:26  એમાંથી મહાન પ્રેમ સધાય છે.
 
1:18:30  અને પ્રેમની પોતાની વિવેકબુદ્ધિ છે,
 
1:18:34  એ કપટી મનની બુદ્ધિ નથી.
 
1:18:40  વિવેકબુદ્ધિ કે પ્રજ્ઞા
એ મગજની બહારની વસ્તુ છે.
  
1:18:47  આપણે એને વિષે
આવતીકાલે વાત કરીશું.