Summaries of Krishnamurti's audios and videos
BO84T3 - જીવવાની અને મરવાની કળા
ત્રીજું જાહેર પ્રવચન
બોમ્બે (મુંબઈ), ભારત
૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪
સારાીંશ
શું આ પાગલ જગતમાં એવું જીવન જીવવું શક્ય છે, જેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા અને સંઘર્ષ ન હોય?
જીવવાની કળા શી છે?
જયાં આપણી અંદર માનસિક રીતે વિભાજન હોય, ત્યાં સંઘર્ષ હોય જ, અને એથી અવ્યવસ્થા હોય જ. જયાં સુધી અવ્યવસ્થા હોય, ત્યાં સુધી વ્યવસ્થા મેળવવાનો પ્રયત્ન પણ અવ્યવસ્થા જ રહે છે.
ભયનાં ઘણાં મૂળ છે કે માત્ર એક જ મૂળ છે?
ભૂતકાળ મગજમાં સ્મૃતિ તરીકે સંગ્રહાયેલાં અનુભવ અને જ્ઞાન છે. સ્મૃતિમાંથી વિચાર ઉદ્ભવે છે. સમય ભૂતકાળ છે, સ્મૃતિ ભૂતકાળ છે. એટલે સમય અને વિચાર એક જ છે, અલગ નથી.
મૃત્યુ એટલે શું?
શું વિષાદનો અંત છે ખરો? કે પછી માનવે હંમેશ માટે આનો બોજો ઉઠાવવો જ રહ્યો?