Summaries of Krishnamurti's audios and videos
RA85D - આપણે શા માટે આધ્યાત્મિક અને સાંસારિક એવું વિભાજન કરીએ છીએ?
જાહેર સંવાદ
રાજઘાટ - વારાણસી, ભારત
૨૧ નવેમ્બર ૧૯૮૫
સારાીંશ
શા માટે તમે જીવનને, તમારા રોજિંદા જીવનને, તમારી આધ્યાત્મિકતાની કલ્પનાઓથી જુદું પાડો છો?
શા માટે તમે અનુબંધિત છો? શા માટે તમે આને સ્વીકારો છો?
આપણે બીજી વ્યક્તિ વિષે એક માનસિક છબી બનાવીએ છીએ, આપણા સ્વભાવ પ્રમાણે, આપણી માહિતી પ્રમાણે, આપણા ભ્રમો પ્રમાણે, આપણી કલ્પનાઓ પ્રમાણે.
તમે ‘સંબંધિત’નો શો અર્થ કરો છો? ‘મારો તેમની સાથે સંબંધ છે’ - એનો અર્થ શો?
આપણે શા માટે આધ્યાત્મિક અને સાંસારિક એવું વિભાજન કરીએ છીએ?
જો તમે વક્તાને પ્રશ્ન કરો, તો પ્રશ્નમાં પોતાની જ જીવનશક્તિ છે, ઊર્જા છે; જવાબમાં નથી, કારણ કે જવાબ પ્રશ્નની અંદર છે.
પ્રશ્ન: કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇન્ડિયાનાં વિવિધ કેન્દ્રો સતત અને હંમેશાં કહે છે કે તેઓ 'કૃ'ની શીખનું કેન્દ્ર છે. તો, હવે જયારે આપણી પાસે બૌદ્ધ શીખ, ખ્રિસ્તી શીખ અને કૃષ્ણમૂર્તિ શીખ છે, તો શું આ કહેવાતી 'કૃ'ની શીખની પણ એવી જ દશા થશે જેવી બુદ્ધની અને ઈસુ ખ્રિસ્તની શીખની થઈ છે?